Tuesday 16 October 2012

શક્તિ ની ભક્તિ કરે ભારત...Part-1



પ્રિય મિત્રો, આજથી શક્તિ ની ભક્તિ નું પર્વ નવરાત્રી શરુ થઇ ગઈ છે ત્યારે પૂજ્ય સ્વામી નીજાનન્દજી ના Facebook માં મુકેલ આ પાકિસ્તાને પચાવી પાડેલ ભારત નું માથું અને તેમની કોમેન્ટ વાંચી મને ઉચિત લાગ્યું કે હૂં તેમની ભારત માતા માટે ની ચિંતા આપ લોકો સુધી પહોંચાડું... જેની આપ સૌ ગંભીરતાથી નોધ લેશો...

મિત્રો તમને નથી લાગતું કે આપણે શક્તિ ની સાચી સાધના કરવી જોઈએ જેનાથી આપણી માતૃભુમી, બહેન, દીકરી અને ધર્મ
 ની રક્ષા કરી શકીએ તેટલી તાકાત ભારત ના યુવાનો માં હોય... સ્વામીજી દ્વારા કરાયેલ કોમેન્ટ દ્વારા મને લાગે છે કે આપણે સ્વાભિમાની બનવું જોઈએ નહિ કે મિથ્યાભિમાની...

ભારત નું શીષ બચાવી શક્યા કે પાછું મેળવી શક્યા નથી ત્યારે આપણે સૌએ શક્તિની સાચી સાધના કરી ખરેખર શક્તિશાળી સમાજ ની રચના કરવી જ રહી નહીતર ગંભીર પરિણામો ભાવી પેઢીએ ભોગવવા જ રહ્યા...

માં જગદંબા મને, તમને અને આ દેશ ના દિશાહીન તમામ રાજનેતાઓ ને સાચી દ્રષ્ટિ, ભક્તિ અને શક્તિ અર્પે તેવી પ્રાર્થના સહ
-- આપનો નીલેશ રાજગોર...
 



No comments:

Post a Comment