Wednesday 30 April 2014

       
  પ્રિય મિત્રો,
આજે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવાતાર ભગવાન પરશુરામની જન્મ જયંતી છે.
.............................સૌ મિત્રોને જય પરશુરામ............................
ભગવાન પરશુરામની જન્મજયંતી એટલે કે અખાત્રીજ, આજના દિવસે ખેડૂતો હળોતરા કરી ખેતીનું મુહુર્ત કરે છે અને બધા જ પવિત્ર કર્યો માટે આજનો દિવસ શુભ મનાય છે.
ભગવાન પરશુરામ એટલે ખેતીના જનક અને અન્યાયનો સામનો કરી ન્યાયની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવાનું પ્રતિક. પરશુરામ એ વિચારધારા છે કે જે આજે પણ જીવંત છે. કોઈ પણ કુશાસન સામે પ્રજા અવાજને બળવોત્તર બનાવી, સુશાસન સ્થાપિત કરી અને સત્તાથી પરે રહી સિદ્ધાંતોને પુનઃ સ્થાપિત કરવા એટલે પરશુરામનું પૂજન કરવું.
આજના આ પવિત્ર દિવસે ચાલો આપણે સૌ સંકલ્પ કરીએ કે ભગવાન પરશુરામની વિચારધારને અનુસરીશું અને દેશમાં અન્યાય અને અસત્યને દુર કરી સત્યની પ્રતિષ્ઠા પ્રસ્થાપિત કરવા પ્રયત્નશીલ બની ભગવાન પરશુરામનું સાચું પૂજન કરીશું....... 
- નીલેશ રાજગોર ના સૌને જય પરશુરામ.


Friday 18 April 2014

प्रिय दोस्तों,

बजाज एलियान्स लाइफ इन्स्योरन्स द्वारा आयोजित “मिलाप इस्ताम्बुल” कार्यक्रम अंतर्गत मुझे इस्ताम्बुल जाने का अवसर मिला, वहाँ भारत के सभी MDRT का सन्मान हुआ |

दोस्तों, इस्ताम्बुल को देखके ऐसा लगा की हमलोग अभी बहोत पीछे हैं | भारत की नयी पीढ़ी को सोचना होगा की विश्व के सामने हमें सर उठाके जीना हैं तो सभी क्षेत्र में बदलाव लाना पड़ेगा | खास करके Discipline के मामले में बहोत पीछे हैं, वहाँ के तुर्की लीरा के आगे हमारा 30 रुपया जो हमें पुकार पुकार के कहता हैं के देश की राजनीती की वजह से भारत का रुपया सतत गिरता जा रहा हैं वरना भारत के पास सबकुछ हैं जो बहोत से देशो के पास नहीं हैं |

में बीजेपी में हु इसलिए नहीं लेकिन नरेन्द्र मोदिजी ने गुजरात में जो विकाश करके दिखाया हैं ठीक उसी तरह वो अपने देश का भी विकास और सामाजिक सुधार कर सकते हैं, उनके पास समर्थ और शसक्त नेतृत्व की आशा देश रख सकता हैं और उनके नेतृत्व में भारत आगे बढ़ सकता है ऐसा मेरा मानना हैं |

- आप सबका निलेश राजगोर

Monday 7 April 2014

પ્રિય મિત્રો, 
રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
       
              આજના આ પવિત્ર દિવસે આપ સૌ ગંભીરતાથી વિચારજો કે વિશ્વની સૌથી વધુ ભૌગોલિક સમૃદ્ધી ધરાવતા હોવા છતાં આ દેશના ૪૦ % થી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે, નારી શક્તિની પૂજા કરનારા આ દેશના પાટનગરમાં અને અનેક જગ્યાએ બહેન દીકરીઓના બળાત્કાર એ સામાન્ય બની ગયું છે, અબજો રૂપિયાના કૌભાંડો આ દેશના બેશરમ નાલાયક નેતાઓ રૂઆબભેર રોજેરોજ કરી રહ્યા છે, નિર્દોષ નાગરીકો તો આંતકવાદીઓના ભોગ બને જ છે પરંતુ સૈનિકોની માથા વગરની લાશો આવે છે, આઝાદી પછી ભારતના પ્રદેશો ખોવા સિવાય કશું કર્યું નથી અને અખંડ ભારતના ગાણા ગવાય છે, શિક્ષણ, રમત - ગમત વગેરે ક્ષેત્રે તટસ્થ પ્રોત્સાહન અને ન્યાય ન અપાતા યુવાધન વિદેશગમન કરી રહ્યું છે. ટૂંકમાં આ બધાજ પ્રશ્નોના મૂળમાં આપણી માનસિક ગુલામી છે, કેમ કે આપણે સત્ય માટે અવાજ ઉઠાવી શકતા નથી અને માત્ર દેખાવો કરી પરિણામ સુધી પહોચતા નથી. ભગવાને આપણને ખુબ શક્તિઓ આપી છે જરૂર છે માત્ર દ્રઢ સંકલ્પની તો આઓ આજના દિવસે ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આપણે સહુ બધા વાદોથી પર રહી સાચા અને નીડર રાષ્ટ્રવાદી બનીએ.... 
- નીલેશ રાજગોરના જય શ્રી રામ...