Tuesday 30 October 2012

સાચા દેશભક્ત સરદારશ્રી વલ્લભભાઈ પટેલ ની 137 મી જન્મ જયંતી છે ત્યારે તેમને અને તેમના માતા-પિતા ને કોટી કોટી વંદન...

પ્રિય મિત્રો, આવતી કાલે દેશના સાચા દેશભક્ત સરદારશ્રી વલ્લભભાઈ પટેલ ની 137 મી જન્મ જયંતી છે ત્યારે તેમને અને તેમના માતા-પિતા ને કોટી કોટી વંદન... 

સરદારશ્રી વલ્લભભાઈ પટેલે દેશના અનેક પ્રશ્નો ઉકેલી અખંડ ભારત નું નિર્માણ કરાવ્યું અને જેમ
ણે પોતાના પૌત્રને કહેલું કે " રોટલો ખાવા ન મળે તો મારી પાસે આવજે, પણ મારા નામે કમાશો નહીં. સરદારનાં નામનો ઉપયોગ કરશો નહીં. હું દિલ્હી માં છું ત્યાં સુધી દિલ્હી થી બે માઈલ દૂર રહેશો...." આવા પ્રાણવાન શબ્દો દેશના આજના તમામ નેતાઓ કે જેમણે આ દેશ માં સરદાર પટેલ ના નામે માત્ર ચરી ખાધું છે અને દેશના પ્રશ્નો ઉકેલવાને બદલે દેશ માં નવા નવા અનેક પ્રશ્નો ઉભા કરી ગૂંચવાડો ઉભો કર્યો છે, તેવા દિશાહીન નેતાઓ અને કાર્યકરોને અર્પણ કરું છું.

સાથે સાથે ખૂણે-ખાંચરે પડેલા સાચા દેશભક્તો નીડર બની ભારત ની આ બકવાસ ટોળાશાહી ને દુર કરી સાચી નીતિમત્તા અને મુલ્યો વાળી લોકશાહી પ્રસ્થાપિત કરવા આગળ આવે અને સરદારશ્રી વલ્લભભાઈ પટેલને સાચા અર્થ માં તેમની જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પે... -- આપ સૌનો નીલેશ રાજગોર

No comments:

Post a Comment