Tuesday, 30 April 2013
કોટીકોટી નમન વીર સેનાપતિ પૃથ્વીસિંહ ડોગરાને કે જેણે ચીનને ભૂંડી રીતે હરાવી ૧૦૦ કી.મી. થી વધારે પાછુ ધકેલી ચીનને સંધી કરવા મજબુર કર્યું હતું...
કોટીકોટી નમન વીર સેનાપતિ પૃથ્વીસિંહ ડોગરાને કે જેણે ચીનને ભૂંડી રીતે હરાવી ૧૦૦ કી.મી. થી વધારે પાછુ ધકેલી ચીનને સંધી કરવા મજબુર કર્યું હતું...
મિત્રો આજે સવારે જ
સદૈવ રાષ્ટ્રહિત નું ચિંતન કરનાર અને મારા પ્રેરણા સ્ત્રોત પરમ પૂજ્ય સંત શ્રી
સ્વામી નિજાનંદજી જોડે ચીને કરેલ ઘુસણખોરી બાબતે ટેલીફોનીક ચર્ચાઓ થઇ અને મેં આપની
સમક્ષ એટલે રજુ કરવાનું ઉચિત માન્યું કે આપણે હંમેશા ૧૯૬૨ ની કારમી હાર થી પીડાઈએ છીએ
અને ચીન ખુબ જ શક્તિશાળી છે તેવું હાલ માની રહ્યા છીએ ત્યારે
સ્વામીજીએ ડોગરા રાજપૂતોના સેનાપતિ પૃથ્વીસિંહે ચીનને ભૂંડી રીતે હમણા જ આઝાદી
પહેલા પહેલા હરાવ્યું હતું તે જાણી હું અને આપ સૌ ગૌરવથી કહી શકીએ કે ભારતનું
નાનું રજવાડું ચીનને હરાવી શકતું હોય તો ભારત નું વિશ્વનું બીજા નંબરનું લશ્કર શું
ના કરી શકે ?
મિત્રો ૧૮૪૬ થી
૧૯૪૭ સુધી ડોગરા રજપૂતોએ જમ્મુ કાશ્મીર પર શાસન કર્યું અને જે દરમિયાન ચીને એક વખત
જમ્મુ-કાશ્મીરના આજ લદાખ વિસ્તારમાં આક્રમણ કરેલું ( ચીન ત્યારે પણ સામ્યવાદી અને
વિશાળ લશ્કર ધરાવતો દેશ હતો. ) અને તે વખતે પૃથ્વીસિંહ નામના સેનાપતિએ ચીનના
લશ્કરને ૧૦૦ કી.મી. વધુ પાછું ધકેલી દીધેલું અને ભૂંડી રીતે હરાવી ચીનને ચાર
મુદ્દાઓની સંધી કરાવેલી અને જેના ફળ સ્વરૂપે આજે પણ ભારત વુલર સરોવરનો એક કિનારો
ભારત ભોગવી રહ્યું છે. જો કે હજારો ચીની સૈનિકોને મારીને ભૂંડી હાર આપનાર સેનાપતિ
પૃથવીસિંહને વળતી વખતે શિયાળાની ભયંકર ઠંડીએ સમગ્ર લશ્કરને ખુબ નુકશાન પહોચાડેલ
પરંતુ ચીનને તો આજે પણ ડોગરા રાજપૂતોએ આપેલી કારમી હારની યાદો સતાવતી હશે....
અહિયાં સવાલ એ ઉભો થાય છે મિત્રો કે એક
નાનું રજવાડું જો ચીનને હરાવી શકતું હોય તો આવડો મોટો ભડ ભાધર ભારત દેશ આ ચીનની અવળચંડાઇઓં
ને કેમ સહન કરી રહ્યો છે ? આપણી પાસે વિશ્વનું બીજા નંબરનું લશ્કરી દળ અને તે પણ
શૌર્યથી થનગની રહ્યું હોય ત્યારે આપણી ભારત સરકારને આપણે શું સાહસ અને શૌર્યના
ઇન્જેકશનો આપવા પડશે ?
છેલ્લે આપ સહુ
દેશની પ્રજા મતદાર માત્ર ના બની રહેતા દેશના નાગરિકો બની દેશની સાચી બાગડોર
સંભાળવા આગળ આવે અને શક્તિશાળી બને તેવી આશા સહ....
આપ
સૌનો નીલેશ રાજગોરMonday, 22 April 2013
Saturday, 20 April 2013
પ્રિય મિત્રો, રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ....
આજના આ પવિત્ર દિવસે આપ સૌ ગંભીરતાથી વિચારજો કે વિશ્વની સૌથી વધુ ભૌગોલિક સમૃદ્ધી ધરાવતા હોવા છતાં આ દેશના ૪૦ % થી વધુ લોકો ગરીબી રેખા નીચે જીવે છે, નારી શક્તિની પૂજા કરનારા આ દેશના પાટનગરમાં અને અનેક જગ્યાએ બહેન દીકરીઓના બળાત્કાર એ સામાન્ય બની ગયું છે, અબજો રૂપિયાના કૌભાંડો આ દેશના બેશરમ નાલાયક નેતાઓ રૂઆબભેર રોજેરોજ કરી રહ્યા છે, નિર્દોષ નાગરીકો તો આંતકવાદીઓના ભોગ બને જ છે પરંતુ સૈનિકોની માથા વગરની લાશો આવે છે, આઝાદી પછી ભારતના પ્રદેશો ખોવા સિવાય કશું કર્યું નથી અને અખંડ ભારતના ગાણા ગવાય છે, શિક્ષણ, રમત - ગમત વગેરે ક્ષેત્રે તટસ્થ પ્રોત્સાહન અને ન્યાય ન અપાતા યુવાધન વિદેશગમન કરી રહ્યું છે. ટૂંકમાં આ બધાજ પ્રશ્નોના મૂળમાં આપણી માનસિક ગુલામી છે, કેમ કે આપણે સત્ય માટે અવાજ ઉઠાવી શકતા નથી અને માત્ર દેખાવો કરી પરિણામ સુધી પહોચતા નથી. ભગવાને આપણને ખુબ શક્તિઓ આપી છે જરૂર છે માત્ર દ્રઢ સંકલ્પની તો આઓ આજના દિવસે ભગવાન રામને પ્રાર્થના કરીએ કે આપણે સહુ બધા વાદોથી પર રહી સાચા અને નીડર રાષ્ટ્રવાદી બનીએ.... - નીલેશ રાજગોરના જય શ્રી રામ...
Monday, 18 March 2013
गुरु तेगबहादुरजी के "शीश" को औरंगजेब और उसकी क्रूर सेना से बहादुरी पूर्वक लानेवाले मेहतर ज्ञाति (दलित ज्ञाति) के दोनों बहादुर बाप-बेटे 'धरमदास' और 'नानकदास' को कोटि कोटि नमन ...
दोस्तों, आज मेरी नजर क्रांतिकारी संत श्री स्वामी सच्चिदानंदजी के सूत्र "वीरता परमो धर्म" को सार्थक करने वाले इस पवित्र चित्र पर पड़ी, जिसमे शीखो के 9 वें गुरु औरे गुरु गोविन्दसिंहजी के पिता गुरु तेगबहादुर का पवित्र "शीश", 16 साल के गुरु गोविन्दसिंहजी और सभी बहादुर भक्त-जन दिख रहे है . इस चित्र को देखकर मुझे बहोत बड़ा गर्व हुआ और जिन्होंने धर्म की रक्षा के लिए अपना बलिदान दिया ऐसे गुरु तेगबहादुरजी , गुरु गोविन्दसिंहजी और पुरे शीख धर्म के लिए मेरा शीश नम्रता से उनके चरणों में जुकाया और सोचा की शायद पुरे भारत का हिन्दू धर्म " वीरता परमो धर्म" सूत्र को सार्थक करे .
दोस्तों हिन्दू धर्म में बिना शीश के अग्नि संस्कार नहीं किया जा सकता , फिर भी बड़े दुःख और शर्मिंदगी की बात है मेरे और आपके ही एक भाई शहीद वीर हेमराज के पवित्र शरीर को बिना "शीश" के ही अग्निसंस्कार देना पड़ा . यह हिन्दू धर्म के विरुद्ध है लेकिन गलती उसकी और उसके परिवार की है की उसने 125 करोड़ आबादी वाले, दुनिया के दुसरे नंबर की लश्करी ताकत वाले, दुनिया के सबसे बड़े लोकतंत्र (दंभी, कायर और निष्फल लोकतंत्र) पर विश्वास किया और सबकुछ न्योछावर भी किया . लेकिन इस देश ने इस शहीद के "शीश" को पाकिस्तानी कुत्तो से वापस न लाकर जो कायरता दिखाई वो किसी भी सैनिक का और इस देश के नागरिक का मनोबल तोड़ने वाला उदाहरन दिया है . हम सब को इस बारे में सोचना चाहिए की हमारी गलती कहां हो रही है ? क्यों हम दिन प्रतिदिन इतने कायर होते जा रहे है ?
मेरे खयाल से हमारे धार्मिक ब्ल्यू-प्रिन्ट में कुछ बदलाव की जरुरत है . इस देश मे हजारो की संख्या मे धार्मिक संप्रदाय दिन प्रतिदिन बढ़ते ही जा रहे है, लेकिन हम 'धर्म' की स्थापना अभी तक नहीं कर पाए है . मेरे हिसाब से धर्म का अर्थ है कर्तव्य, नैतिकता, बहादुरी, सच्चाई, दया आदि. और अगर इस देश में सही माइने में धर्म प्रस्थापित होता तो इस देश का हरएक नागरिक सच्चा , बहादुर और कर्तव्य निष्ठ होता और आज अपना देश दुनिया के सामने दिन प्रतिदिन "मजाक" न बनता . कृपया इस चित्र में से प्रेरणा ले और "वीरता परमो धर्म" का सूत्र अपनाये .
अंत में गुरु तेगबहादुरजी के "शीश" को औरंगजेब और उसकी क्रूर सेना से बहादुरी पूर्वक लानेवाले मेहतर ज्ञाति (दलित ज्ञाति) के दोनों बहादुर बाप-बेटे 'धरमदास' और 'नानकदास' को कोटि कोटि नमन .
-आप का निलेश राजगोर
Subscribe to:
Posts (Atom)






